બીજલી મહાદેવ -હિમાચલ

 બીજલી મહાદેવ મંદિર – એક અજોડ ચમત્કારિક ધામ


નમસ્કાર મિત્રો 

               હિમાલયની સફરમાં નવી એક હિમાલયની વાત લઈને આવ્યો છું જે મને હદયથી ખૂબ જ ગમેલું સ્થળ છે આજે તેની મારે વાત કરવાની છે અને જો જીવનમાં ચાન્સ મળે તો જરૂરી એક વાર એને મુલાકાત લેજો. જ્યાં દર 12 વર્ષમાં શિવલિંગ પર વીજળી પડે છે અને ફરી શિવલિંગને સ્થાપિત કરવામાં આવે છે તેવું મહાદેવનું મંદિર એટલે બીજલી મહાદેવનું મંદિર. લાસ્ટ માં વિડીયો જોવાનું ભૂલસો નહીં 

----------------------------------------------------------------------------------------------------------------------------

પરિચય:
હિમાલયની સુંદરતા અને પૌરાણિક મહત્વ ધરાવતા બીજલી મહાદેવ મંદિરે દર 12 વર્ષે થતો એક અજોડ ચમત્કાર આકર્ષણનું મુખ્ય કારણ છે. 8,100 ફૂટની ઉંચાઈએ હિમાચલ પ્રદેશના કુલ્લુથી 24 કિ.મી દૂર સ્થિત આ મંદિર એક પૌરાણિક અને આસ્થા ભરેલું સ્થળ છે.


પૂરાણિક કથા:

કહેવાય છે કે અહીં કુલાંત નામના રાક્ષસ રહેતો હતો, જે બિયાસ નદીનું પાણી રોકી કુલ્લુ પ્રદેશને ડૂબાડવા માગતો હતો. ત્યારે ભગવાન શંકરે ત્રિશૂલ વડે તેનો સંહાર કર્યો. તેમનો આત્મા વીજળી સ્વરૂપે આકાશમાં ઉડી ગયો અને અહીં પૃથ્વી પર પડ્યો. તેથી આ સ્થળને બીજલી મહાદેવ નામ આપવામાં આવ્યું.


વિશિષ્ટતા:


દર 12 વર્ષે શિવલિંગ પર વીજળી પડે છે, જેના કારણે તે ટુકડા થઈ જાય છે. પરંતુ આ શિવલિંગને ઘી અને માટીથી જોડવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. આ ચમત્કાર માટે કહેવાય છે કે વીજળી માત્ર શિવલિંગ પર જ પડે છે, મંદિરના અન્ય ભાગો પર નહીં!


મંદિરની રચના અને આકર્ષણ:

  • મંદિર લાકડાથી બનાવાયેલું છે, જેમાં હિમાચલની કોતરણી કલા જોવા મળે છે.

  • અહીં મોટો ત્રિશૂલ (ધ્વજ સ્તંભ) છે, જ્યાં શ્રદ્ધાળુઓ દોરા-ધાગા બાંધી માનતા રાખે છે.

  • અહીંથી પાર્વતી ઘાટી, હિમાલયની પહાડીઓ, બિયાસ નદી અને કુલ્લુ શહેર દૃશ્યમાન થાય છે.


તહેવારો અને ખાસ કાર્યક્રમો:

  • મહાશિવરાત્રી: હજારો ભક્તો શિવ પૂજા માટે ભેગા થાય છે.

  • શ્રાવણ મહિનો: શિવલિંગ પર રુદ્રાભિષેક અને ભજન-કીર્તનનું આયોજન થાય છે.

  • વીજળી પડ્યા પછી: નવા શિવલિંગની સ્થાપના સમયે મેળાનું આયોજન કરવામાં આવે છે.


જવાની શ્રેષ્ઠ સીઝન:

  • મે થી જૂન અને સપ્ટેમ્બર થી નવેમ્બર - શ્રેષ્ઠ વાતાવરણ!

  • ડિસેમ્બર થી ફેબ્રુઆરી - ભારે હિમવર્ષા, ટ્રેક માટે મુશ્કેલ સમય.


કઈ રીતે પહોંચી શકાય?

  • કુલ્લુ થી ચાંશારી ગામ સુધી ટેક્સી ઉપલબ્ધ છે.

  • ત્યાંથી 3-4 કિ.મી. ટ્રેકિંગ દ્વારા મંદિર પહોંચી શકાય.


આસપાસના દર્શનીય સ્થળો:

  1. કુલ્લુ માર્કેટ

  2. મનાલી

  3. મણિકરણ સાહેબ

  4. અટલ ટનલ

  5. રોતાંગ પાસ

  6. સોલાંગ વેલી

  7. શિશુ

  8. પાર્વતી વેલી


વિશેષ માહિતી માટે:
વધુ માહિતી માટે નીચેના નંબર પર WhatsApp કરો:
📞 8160003720


આ સુંદર અને આસ્થાપૂર્ણ સ્થળની સફર અવશ્ય કરો! હર હર મહાદેવ!