આવો ઉનાળાની ગરમીઓમાં એક ખૂબ જ પ્રખ્યાત હિલ સ્ટેશન ની મુલાકાત લઈએ નામ છે મનાલી ...
જે પોતાની પ્રાકૃતિક સુંદરતાઓ અને હિમાલયના ઉંચા પહાડો વચ્ચે ઘેરાયેલ હિલ સ્ટેશન છે. જે ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલા કુલ્લું જિલ્લામાં દરિયાની સપાટીથી 6726 ફૂટ ઊંચાઈ પર આવેલું છે આમ તો તે બિયાસ નદીના કિનારે વસેલ હિલ સ્ટેશન ગણાવી શકાય છે.મનાલીમાં ફરવા જેવા મુખ્ય સ્થળો
1. રોતાંગ પાસ
મનાલી થી લગભગ 50 કિલોમીટર જેટલી દુર આવેલ તેની કુદરતી પ્રકૃતિ માટે જાણીતું એડવેન્ચર અને હિમથી ઘેરાયલ ભાગ રોકતાંગ પાસ છે અહીં આવતા પ્રવાસીઓ મોટે ભાગે મુલાકાત લે છે અહીં બારેમાસ બરફનું પ્રમાણ વધારે જોવા મળે છે આમ જુઓ તો અડલ ટર્નલ પહેલા લેહ લદાખ તરફ જવા માટે ફરજિયાત રોકતાંગ પાસ કરીને જવું પડતું હતું. પરંતુ શિયાળામાં મોટેભાગે અહીં વધારે બરફ વર્ષા થતી હોવાથી તે શિયાળા દરમિયાન બંધ રહેતો હતો જેના નિવારણ રૂપે અટલ ટર્નલ બનતા રોતાંગ પાસ નો ઉપયોગ અત્યારે પર્યટન સ્થળ માટે વધારે કરવામાં આવે છે . જે દરિયાથી 13,54 ફૂટ ઊંચાઈ આવેલું છે.
2. સોલાગ વેલી
મનાલી થી લગભગ 14 કી.મી અંતરે આવેલ છે . આમ તો મનાલી બસ સ્ટેશન પાસે આવેલા ટેક્સી સ્ટેન્ડ પરથી સોલાંગ વેલી માટે ટેક્ષી મળી રહે છે અહીં શિયાળામાં સ્કિંગ થાય છે તે ઉપરાંત પેરાગેડિંગ અને જીપ લાઇન જેવી પ્રવૃત્તિઓ પણ અહીં કરવામાં આવે છે.
3. હડીમબા મંદિર
મનાલીના મુખ્ય બજાર થી બે થી ત્રણ કિમીના અંતરે આવેલું હડીમબા મંદિર ઈ. સ 1553 માં બનેલું હતું. મહાભારતના ભીમ ની પત્ની હડીમ્બા ને સમર્પિત આ મંદિર બનાવવામાં આવેલ છે. અહીંના લોકો હડીંબા માતાને ખૂબ જ ભાવથી માને છે અને તેની પૂજા અર્ચના કરે છે. મંદિર લાકડામાંથી નકશીદારી કોતરણી રીતે બનાવેલ છે .ડિઝાઇનમાં ગુજરાતી અને તિબેટી શૈલી થી બનાવેલ છે.
4. મનુ મંદિર
મનુ ઋષિને સમર્પિત આ મંદિર છે મનુ ઋષિના નામ પરથી મનાલી નામ પાડવામાં આવેલ છે. જેની ઊંચાઈ દરિયાથી 10,300 ફૂટ ઊંચાઈ પર આવેલ આ મંદિર છે. જે અહીંના સિરિકુલ્લા વિસ્તારમાં આવેલ છે. અહીંથી મનાલીનો ચારે બાજુનું દ્રશ્ય અને વાતાવરણ ખૂબ જ સુંદર રીતે માણી શકાય છે. અહીંના લોકો પવિત્ર તહેવારોમાં અહીં ભેગા થઈને પૂજા અર્ચના કરે છે.
5. વશિષ્ઠ મંદિર અને ગરમ પાણીના કુંડ
મનાલી થી લગભગ 10 થી 15 કિ.મી ના અંતરે વશિષ્ઠ ગામમાં વશિષ્ઠ ઋષિનું મંદિર આવેલું છે . જ્યાં ગરમ પાણીના કુંડ પણ આવેલા છે આ કુંડની વિશેષતા એવી છે કે અહીં ચામડીના રોગ અથવા બીમારી વાળા લોકો જો કુંડમાં સ્નાન કરે તો તેને ખૂબ જ સારો લાભ થાય છે. કુદરતી સૌંદર્યનો ખજાનો અને આસપાસનું વાતાવરણ અહીં ખૂબ જ મનમોહન દ્રશ્ય સર્જે છે.
6. ઓલ્ડ મનાલી
કાફે, રેસ્ટોરન્ટ અને યુરોપિયન શૈલીના ગેસ્ટ હાઉસ માટે પ્રસિદ્ધ છે.
7. જોગણી વોટરફોલ
મનાલી થી 10 કિલોમીટર અંતર દૂર આવેલ વશિષ્ઠ ગામ ની નજીક જોગણી વોટરફોલ આવેલ છે . પહાડો માંથી બરફના પાણી પીગળી ને ઊંચાઈ ઉપરથી આ વોટરફોલ નીચે તરફ આવે છે. આ વોટરફોલ એટલે વધારે મહત્વનો છે કે તે સાંસ્કૃતિક અને પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. અહીં સ્થાનિક લોકો માતા જોગણીના દર્શન કરવા પણ આવે છે. લગભગ એક થી દોઢ કિલોમીટર ટ્રેકિંગ કરી અને વોટરફોલ સુધી પહોંચી શકાય છે.
8. કુલ્લુ
ચંદીગઢ અથવા દિલ્હીથી જતા મનાલી થી પહેલા 40 કિલોમીટરના અંતરે બિયાસ નદી કિનારે કુલ્લુ શહેર આવેલું છે આ શહેર તેની હસ્તકલા અને પશ્ચિમ તથા કુલ્લુ શાલ માટે ખૂબ જ પ્રખ્યાત છે.
આ ઉપરાંત બીજા સ્થળો
1. અંજની મહાદેવ
2. નગર શહેર અને કિલ્લો
3. અટલ ટનલ
4. કસોલ
5. મણીકરણ
6. બીજલી મહાદેવ
7. બારાછલ્લા
8. હમતા ગામ
9. ઘનકુંડી ઘાટી
10. સીસુ
11. ચંદ્રતાલ
12. જાના વોટરફોલ
13. તીર્થન વેલી
14. સેથાણ ગામ
15. બ્રિગુ લેક
કેવી રીતે પહોંચી શકાય
હવાઈ માર્ગે
દિલ્હી અથવા ચંદીગઢ થી ભુંતર સુધી
રેલવે માર્ગ
દિલ્હી અથવા ચંદીગઢ અને ત્યાંથી જોગિન્દર નગર
રસ્તા માર્ગ દ્વારા
દિલ્હી કે ચંદીગઢ કે સીમલા થી બસ દ્વારા
મનાલી નું અંતર
દિલ્હી થી 550 કિ.મી
ચંદીગઢ થી 310 કિ.મી
શીમલા થી 250 કિ.મી
જોગિન્દર નગર થી 160 કિ.મી
ભુંતર થી 50 કિ.મી
શ્રેષ્ઠ સમય
બરફ વર્ષા માટે શિયાળો ઓક્ટોબર થી ફેબ્રુઆરી
ઘાસ,હરિયાળી અને ઠંડક માટે ઉનાળો માર્ચથી જૂન
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
મનાલી થી લગભગ 50 કિલોમીટર જેટલી દુર આવેલ તેની કુદરતી પ્રકૃતિ માટે જાણીતું એડવેન્ચર અને હિમથી ઘેરાયલ ભાગ રોકતાંગ પાસ છે અહીં આવતા પ્રવાસીઓ મોટે ભાગે મુલાકાત લે છે અહીં બારેમાસ બરફનું પ્રમાણ વધારે જોવા મળે છે આમ જુઓ તો અડલ ટર્નલ પહેલા લેહ લદાખ તરફ જવા માટે ફરજિયાત રોકતાંગ પાસ કરીને જવું પડતું હતું. પરંતુ શિયાળામાં મોટેભાગે અહીં વધારે બરફ વર્ષા થતી હોવાથી તે શિયાળા દરમિયાન બંધ રહેતો હતો જેના નિવારણ રૂપે અટલ ટર્નલ બનતા રોતાંગ પાસ નો ઉપયોગ અત્યારે પર્યટન સ્થળ માટે વધારે કરવામાં આવે છે . જે દરિયાથી 13,54 ફૂટ ઊંચાઈ આવેલું છે.
2. સોલાગ વેલી
મનાલી થી લગભગ 14 કી.મી અંતરે આવેલ છે . આમ તો મનાલી બસ સ્ટેશન પાસે આવેલા ટેક્સી સ્ટેન્ડ પરથી સોલાંગ વેલી માટે ટેક્ષી મળી રહે છે અહીં શિયાળામાં સ્કિંગ થાય છે તે ઉપરાંત પેરાગેડિંગ અને જીપ લાઇન જેવી પ્રવૃત્તિઓ પણ અહીં કરવામાં આવે છે.
3. હડીમબા મંદિર
મનાલીના મુખ્ય બજાર થી બે થી ત્રણ કિમીના અંતરે આવેલું હડીમબા મંદિર ઈ. સ 1553 માં બનેલું હતું. મહાભારતના ભીમ ની પત્ની હડીમ્બા ને સમર્પિત આ મંદિર બનાવવામાં આવેલ છે. અહીંના લોકો હડીંબા માતાને ખૂબ જ ભાવથી માને છે અને તેની પૂજા અર્ચના કરે છે. મંદિર લાકડામાંથી નકશીદારી કોતરણી રીતે બનાવેલ છે .ડિઝાઇનમાં ગુજરાતી અને તિબેટી શૈલી થી બનાવેલ છે.
4. મનુ મંદિર
મનુ ઋષિને સમર્પિત આ મંદિર છે મનુ ઋષિના નામ પરથી મનાલી નામ પાડવામાં આવેલ છે. જેની ઊંચાઈ દરિયાથી 10,300 ફૂટ ઊંચાઈ પર આવેલ આ મંદિર છે. જે અહીંના સિરિકુલ્લા વિસ્તારમાં આવેલ છે. અહીંથી મનાલીનો ચારે બાજુનું દ્રશ્ય અને વાતાવરણ ખૂબ જ સુંદર રીતે માણી શકાય છે. અહીંના લોકો પવિત્ર તહેવારોમાં અહીં ભેગા થઈને પૂજા અર્ચના કરે છે.
5. વશિષ્ઠ મંદિર અને ગરમ પાણીના કુંડ
મનાલી થી લગભગ 10 થી 15 કિ.મી ના અંતરે વશિષ્ઠ ગામમાં વશિષ્ઠ ઋષિનું મંદિર આવેલું છે . જ્યાં ગરમ પાણીના કુંડ પણ આવેલા છે આ કુંડની વિશેષતા એવી છે કે અહીં ચામડીના રોગ અથવા બીમારી વાળા લોકો જો કુંડમાં સ્નાન કરે તો તેને ખૂબ જ સારો લાભ થાય છે. કુદરતી સૌંદર્યનો ખજાનો અને આસપાસનું વાતાવરણ અહીં ખૂબ જ મનમોહન દ્રશ્ય સર્જે છે.
6. ઓલ્ડ મનાલી
કાફે, રેસ્ટોરન્ટ અને યુરોપિયન શૈલીના ગેસ્ટ હાઉસ માટે પ્રસિદ્ધ છે.
7. જોગણી વોટરફોલ
મનાલી થી 10 કિલોમીટર અંતર દૂર આવેલ વશિષ્ઠ ગામ ની નજીક જોગણી વોટરફોલ આવેલ છે . પહાડો માંથી બરફના પાણી પીગળી ને ઊંચાઈ ઉપરથી આ વોટરફોલ નીચે તરફ આવે છે. આ વોટરફોલ એટલે વધારે મહત્વનો છે કે તે સાંસ્કૃતિક અને પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. અહીં સ્થાનિક લોકો માતા જોગણીના દર્શન કરવા પણ આવે છે. લગભગ એક થી દોઢ કિલોમીટર ટ્રેકિંગ કરી અને વોટરફોલ સુધી પહોંચી શકાય છે.
8. કુલ્લુ
ચંદીગઢ અથવા દિલ્હીથી જતા મનાલી થી પહેલા 40 કિલોમીટરના અંતરે બિયાસ નદી કિનારે કુલ્લુ શહેર આવેલું છે આ શહેર તેની હસ્તકલા અને પશ્ચિમ તથા કુલ્લુ શાલ માટે ખૂબ જ પ્રખ્યાત છે.
આ ઉપરાંત બીજા સ્થળો
1. અંજની મહાદેવ
2. નગર શહેર અને કિલ્લો
3. અટલ ટનલ
4. કસોલ
5. મણીકરણ
6. બીજલી મહાદેવ
7. બારાછલ્લા
8. હમતા ગામ
9. ઘનકુંડી ઘાટી
10. સીસુ
11. ચંદ્રતાલ
12. જાના વોટરફોલ
13. તીર્થન વેલી
14. સેથાણ ગામ
15. બ્રિગુ લેક
કેવી રીતે પહોંચી શકાય
હવાઈ માર્ગે
દિલ્હી અથવા ચંદીગઢ થી ભુંતર સુધી
રેલવે માર્ગ
દિલ્હી અથવા ચંદીગઢ અને ત્યાંથી જોગિન્દર નગર
રસ્તા માર્ગ દ્વારા
દિલ્હી કે ચંદીગઢ કે સીમલા થી બસ દ્વારા
મનાલી નું અંતર
દિલ્હી થી 550 કિ.મી
ચંદીગઢ થી 310 કિ.મી
શીમલા થી 250 કિ.મી
જોગિન્દર નગર થી 160 કિ.મી
ભુંતર થી 50 કિ.મી
શ્રેષ્ઠ સમય
બરફ વર્ષા માટે શિયાળો ઓક્ટોબર થી ફેબ્રુઆરી
ઘાસ,હરિયાળી અને ઠંડક માટે ઉનાળો માર્ચથી જૂન
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖